ગીતનાં શબ્દો : આવ્યાં શ્રાવણ કેર સરવડા
કવયિત્રી : તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન ,
ક્યાં છે એને ચૈન કે જપ રે , એ તો ભમે છે મન વનરાવન.
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0
ગગને ધેરાયેલાં વાદળ નીરખું, ફૂટે શમણાંનું ગીત,
ભીતર ઝંખે મન પીયુ પીયુ, આવી પાગલ છે મારી પ્રીત .
ખીલ્યાં ફૂલો દેખી દેખી મારું મહેકી ઉઠ્યું મધુવન .
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0
આવું ન વરસો મુજથી સહન ન થાયે આ એકાંતી સફર.
ઓરે વાદળ હવે વિખરાય જાઓ, લાગશે મારી નજર
ગડગડાટથી તું વરસી પડે, તને નડે નાં કોઈ બંધન?,
આવ્યાં શ્રાવણ કેર સરવડા, જેમા ભીંજાયું મારું તન-મન.0
No comments:
Post a Comment