Friday, 14 July 2017

ગઝલ

અર્થ કાયમના ઠગારા હોય છે ,
જ્યાં ઉપરછલ્લા ઠઠારા હોય છે .

શબ્દને ઘૂંટ્યા પછી કેવો ખીલે !
સો દીશાઓમાં પથારા હોય છે .

મૌન રહીને આપ-લે કીધી હતી,
એ વચનને પાળનારા હોય છે !

હાથ માગીને લીધો હો, ને પછી -
હસ્તરેખા ભૂંસનારા હોય છે !

હું, તમે ને હો હ્યદયની ખેવના ,
ક્યાં પછી સરહદ.. કિનારા હોય છે ?!

નેહા પુરોહિત

No comments:

Post a Comment