આવ આજ મુજને બેકરાર જો ,
ને રુંધાતો શ્વાસ પારાવાર જો ..
પર્ણ જેમ થાય અળગુ ડાળથી ,
એ જ પીડા એ જ મનનો ભાર જો ..
જળ તો સુકાઈ ગયા છે નેત્રના ,
ફૂટી છે હવે જે રક્તધાર જો ..
કાલ ગઈ ને આજ પણ વીતી જશે ,
સમય જ છે સાચી સારવાર જો ..
વહેંચવી ખુશી ને થવુ ઉપયોગી
એ જ તો છે જિંદગીનો સાર જો...
-શબનમ
No comments:
Post a Comment