અવતાર...ગઝલ...
માનવીના મન સુધી જે પહોચવા ફાવ્યા હશે..
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યા હશે..!!
કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં..!!
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યા હશે...!!
એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ..
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે..!!
વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતા..
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યા હશે..!!
ભોમ છે "ગુજરાતની" માથે ચડાવી રેતને..
આ "જગત"માં આમ અવતાર થઇ પૂજાયા હશે..!!".jn
Galgaga..1..galaga
No comments:
Post a Comment