ના પ્રશ્નોના ઉત્તર આવ્યા.
ના પથ્થરમાં ઈશ્વર આવ્યા.
આ વિષ પ્યાલો ન ધરો કોઈ;
અમૃત માટે શંકર આવ્યા.
અસ્તિત્વ નદીનું નષ્ટ થશે;
લઈ ખારાશ સમંદર આવ્યા.
બેઠા છે એ રીતે જાણે;
લાંબું કાપી અંતર આવ્યા.
છોડીને જ જવું છે સઘળું;
તો શા માટે ભીતર આવ્યા.
-સર્જક
No comments:
Post a Comment