Tuesday, 27 June 2017

ગઝલ

સત્ય છે   તો સત્યને   વાચા મળે
આંખને  પણ સ્વપ્ન  સાચા મળે ?

દેવ થઇ  પૂંજાય છે  કાયમ  પછી
શિલ્પને જો  દર્દના   ટાચા  મળે !

જિંદગી પણ   જીવવી  કઇ રીતે ?
જીવવા પણ નિતનવા ઢાચા મળે !

રોજ  એનો રંજ  રહે છે આંખમાં
શિષ્ય ગુરુના કદી જો કાચા મળે?

રોજ   તારા   નામનો   દીવો  કરુ
મનવચાળે  સ્નેહના   ખાચા મળે.

" વિસ્મય " શૈલૈશ ચૌહાણ

No comments:

Post a Comment