Sunday, 1 October 2017

અછાંદસ

તરવાના થાકનો
મછલીને
વિચાર જ ક્યાંથી હોય ?
પંખીને તે વળી
ઊડવાનો કંટાળો ?
મને તો એ જ ડર છે
કે પૂછયા વગર,
વિચાર્યા વગર,
શ્વાસ લેવાનો ભાર લાગતો હશે
એમ માનીને
કોઇ
મને અટકાવી દે તો ?
– પ્રીતિ સેનગુપ્તા

No comments:

Post a Comment