Tuesday, 20 March 2018

ગઝલ

ગઝલ

આ જીવનમાં તો છટકબારી નથી
કેમ લગ્ને સ્થિર નરનારી નથી?

સ્નેહ ને સગપણ ન વેચાતા મળે
લાગણીઓ મળતી પરબારી નથી.

હા, ભરોસો એક એ આવી ગયો.
જિંદગી આ સાવ જ નઠારી નથી.

આ  દરીયા  સાથ એને મેળ છે
આ નદીની છાપ પણ સારી નથી.

આજ શંકા સાવ અણધારી નથી
એમ સ્વીકારું ઇ તૈયારી નથી.

શીલા મહેતા (શબ્દશિલ્પી)

No comments:

Post a Comment