Friday, 16 March 2018

ગઝલ

ગઝલ

  હોય છે પ્રત્યક્ષ તોયે આંખને દેખાય તોને,
  જીવવાના સૌ રહસ્યો શ્વાસને પરખાય તોને.

મીણબત્તી શી જલાવી જાત ત્યારે ઝળહળી છે,
એ પછી પણ મારી સમજણ એમને સમજાય તોને.*

કુંડળીને વાત કરતી જોઈ છે અંજળ વિશે પણ,
જિંદગીભર સાથ દેવા હાથ આ લંબાય તોને.

થીગડાં માર્યા છતાંયે ફાટતી કાયમ રહે જે,
એ જળેલી લાગણીઓ સોયથી સંધાય તોને.

બુદ્ધનો ઉપદેશ આપ્યો છે ઘણીયે વાર એને,
કિન્તુ કંટકનું વલણ થોડુંક પણ બદલાય તોને.

જિજ્ઞા ત્રિવેદી     ૧૭/૦૩/૧૮

No comments:

Post a Comment