Monday, 2 January 2017

અછાદસ

91 95748 22747‬:
હું મંદિરે જાઉ ત્યારે રોજ મલકાય છે મૂર્તિ.
ક્યારેક ક્યારેક તો કેવી હરખાય છે મૂર્તિ !  હું મંદિરે જાઉ ત્યારે...
પછીતો  હું  ને  મૂર્તિ  વચ્ચે દ્વેત  જેવું કશું  હોતું જ  નથી,
અંતરે આવી, પેસી મારામાં, મન-ગમતું ગીત ગાય છે મૂર્તિ                                  હું મંદિરે જાઉ ત્યારે.....
અંતે તો હું માં એ ને એ માં હું લીન,
એમ ચણાયો પ્રભુ ! આપણા પ્રણયનો બીમ.....હું મંદિરે જાઉ ત્યારે.......
રોમે રોમે રોપ્યો તને, બન્યો તારા પ્રણયનું પુષ્પ,
આ પુષ્પને તારા હ્રદયમાં રોપીદેજે, બસ તારી જ મૂર્તિ સર્જી દેજે.
            હું મંદિરે જાઉ ત્યારે.......
કોઇએ  કહ્યુ  ઇશ્વર  જેવું  કશું  નથી,
ત્યારનો ‘યોગી’ રડી રહ્યો છે એજ વિચારી,
વાત આ સાચી હશે તો શું કામની આ જાત મારી !
વાત આ સાચી હશે તો શું થશે હવે હાલત મારી !
વળી, રોજ મારામાં પ્રેમ બની ઉભરતું, એ હશે કોણ !!!
હું મંદિરે જાઉ ત્યારે.......
           - યોગેશ નિમ્બાર્ક ‘યોગી’

No comments:

Post a Comment