Monday, 30 January 2017

ગઝલ

☆ગઝલ - જવાતું હોય તો ?☆

વાણીની ધારે જવાતું હોય તો ,
મૌનથી બોલી શકાતું હોય તો .

સર્વ વિધ્યા વેદની આવી વસો ,
જીહવાગ્રે વરને વરાતું હોય તો .

જાળવો પંખીપણાને દિલથી,
માળામાં જીવી જવાતું હોય તો.

દ્રશ્યને આપી દઉં સ્વપ્ન વટો ,
રૂબરૂ આવી મળાતું હોય તો.

★દિલીપ વી ઘાસવાળા★

No comments:

Post a Comment