પોત અળગું ક્યાં થતું કોઈ પળે,
સંન્નિકટ્તા એટલી ઘેરી વળે !
સ્હેજ અંધારું જ ઓછું થાય છે,
મીણ માફક જાત જ્યારે ઓગળે.
તું મને લીલાશના સંદર્ભમાં,
સાવ સૂક્કા રણ વિશે આવી મળે.
કેટલાં સ્મરણોને અહીંયા વર્ણવુ ?
કેટલાં ભોરિન્ગ અહીંયા સળવળે ?
હે,કબીરા મન ભયા નિર્મલ હવે,
સર્વ શબ્દોની ઈબાદત પણ ફળે.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment