ગઝલ
નિ:શાષા અંદર ઘુંટે એવું લાગે છે,,
ઊંનું ખાબોચિયું તરવું કેવું લાગે છે ?
નેક અગરિયો મીઠું પકવે દરિયા કાંઠે,
ને મીઠપ-રોટી પાકે તેવું લાગે છે.
કાપ્યો ન ઘસારો સુખનો જેણે જીવનમાં,
* એને પીડાનો હપ્તો દેવું લાગે છે.
નિષ્ફળતા જૂઓ ખાબોચિયામાં પરિવર્તે,
પરિશ્રમી-જીવન ઝરણાં જેવું લાગે છે.
બેઠા છે નવયુગલો ગાદીપતિ પામીને !
મારૂ આ ભવિષ્ય તમોને ચેવું લાગે છે.
પિયુ પાલનપુરી (નરોત્તમ)
No comments:
Post a Comment