Saturday, 4 November 2017

ગઝલ

કહેવાનું નથી.

આ સમયનું  વ્હેણ ટકવાનું  નથી,
કષ્ટ છે  તો  એય  રહેવાનું  નથી .

બસ હવે  ખુદનો ભરોસો રાખજે,
સત્ય છે  તો  લેશ  ડરવાનું  નથી .

હોય ગૂંચવણ તો પછી ઉકેલ કર,
અધવચ્ચેથી આમ ખસવાનું નથી.

જાતનો  શણગાર પોતે છે  સ્વયં,
અન્યના રંગોથી  સજવાનું  નથી.

જે  મળી આવે સફર  સંગાથમાં,
કોઇ ને પણ કયાંય નડવાનું નથી.

એ મળે અંજળવગર તો કયાં મળે?
યત્નથી  તો  કોઇ  મળવાનું નથી.

લો  બધી અટકળ તજી ચાલું હવે ,
ને વધુ  તો  કંઈ જ  કહેવાનું  નથી.

                   @ નૈષધ મકવાણા

No comments:

Post a Comment