Tuesday, 12 June 2018

ગઝલ

ફૂલ લગાવ્યું શું અંબોડે,
દર્પણ ખુદ દર્પણને તોડે !

ખુશ્બોનો વંટોળ ચડે છે,
એ જ્યારે ચાદર પરખોડે !

તું પણ ન્યૂઝ ચેનલ જેવી છો,
ક્યાંક વખાણે, ક્યાંક વખોડે !

હરણાંએ ફરિયાદ લખાવી:
મારી પાછળ મૃગજળ દોડે !

ફળનો એક જ નિયમ છે કે-
જેણે વાવ્યું'તું એ તોડે !

ભાગી-ભાગીને ક્યાં જાશો ?
કર્મ તમારાં તમને છોડે ?

'નિનાદ' ગઝલમાં એ ફાવે,
જે મારે પણ, હાથ બી જોડે !

- નિનાદ અધ્યારુ

No comments:

Post a Comment