Sunday, 28 October 2018

ગઝલ

સંદિગ્ધ કેવું થઈ ગયું વાતાવરણ,
ચારેતરફ નિસ્પંદ પ્હાડો ને ઝરણ !
               
રાખો નહીં કોઈ અપેક્ષા તો થશે,
ભીતર પડેલી ચીજનું પણ સંસ્મરણ !

સઘળું જગત છે ભાવનિર્મિત કો' ભવન,
વસવું સહજ લાગે કબૂલો અવતરણ !

અદૃશ્ય પણ નિશ્ચિત હોવું જોઈએ,
સ્વીકાર્ય જો છે કાળ; કારણ ને કરણ !

ખાલીપણું લાગ્યાં કરે ત્યારે સમજ--
અવરુદ્ધ તારું પણ થયું  છે  આચરણ !
11:34      -----ગુણવંત ઉપાધ્યાય
28102018

No comments:

Post a Comment