Tuesday, 6 September 2016

હેમંત મદ્રાસી

'નીકળવું છે'  (ગઝલ )

ના સંબોધન  પ્યારામાંથી નીકળવું છે !
ના ગમતા સથવારામાંથી નીકળવું  છે!

અનુભવતો ખુદને તારો એથી હું  અંગત,
ના તારા તુંકારામાંથી નીકળવું છે!

ના દેખાતો રસ્તો  જીવનમાં તો ક્યારેક,
મારે એ મુંઝારામાંથી નીકળવું છે!

હું કંટાળ્યો છું મારા ખુદના હોવાથી,
આ  ભારેખમ્મ  મારામાંથી નીકળવું  છે !

પ્યાસ હવે મીઠા જળની લાગી જળચરને,
સૌને દરિયા ખારામાંથી નીકળવું છે!

વીતેલી સૌ પળમાં જીવું છું હું દોસ્તો,
ન પ્રસંગો એ સારામાંથી નીકળવું  છે!

અંત સમયના ભણકારા ઊભા દરવાજે,
કાયમના  અણસારામાંથી નીકળવું છે !

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment