પથ્થરોને તરાવે તો માનું,
પાણીને જો, ડુબાવે તો માનું!
મનમાં એ ઘર કરી રહે છે, જો!
ના કદી મનમાં આવે તો માનું!
તારા સંગીતથી બધાં ડોલે,
જડને જો તું હલાવે તો માનું !
થઈ ગયું છે આ મન તો પથ્થરનું,
લાગણી કંઈ જગાવે તો માનું!
જિદ અગર પૂરી થાય એવી નૈં !
રડતું બાળક હસાવે તો માનું!
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment