Friday, 28 October 2016

ગીત

સૂર-તાલનું જ્ઞાન મને ના ,
પણ મારી ભીતર નિરંતર
કોના આ લયબધ્ધ તાલ સંભળાય છે ?

શબ્દબ્રહ્મને પામવા મથું
ને સાવ નિ:શબ્દ બનું ત્યારે
કોણ આવી મારામાં ઋચાઓ રચી જાય છે ?

સઘળા દર્પણ દઉં હટાવી
ને મોહરાઓ પણ લઉં ઉતારી
ત્યારે કોણ મારી ભીતરથી પ્રગટ થાય છે ?

અંધારે અટવાતી જાઉં
ને ઇન્દ્રિયોના ય ભાન ગુમાવું
ત્યારે કોણ લઇ દીવો મને દોરી જાય છે ?

ઉષા પંડ્યા

No comments:

Post a Comment