ગઝલ....બદલાવી શકો ,
સત્યનો રસ્તો તમે થોડોક અપનાવી શકો?,
જૂઠને એ રીતથી થોડુંક ઉથલાવી શકો?
એક ચકલીએ ઉછેયો સ્નેહથી માળો જરા
ડાળ ક્ષણભર એ પછી લીલાય, થંભાવી શકો ,
ભાગ્ય સામે રોજનો અફસોસ છે સૌને સહજ,
શું વિધાતાએ લખેલા લેખ બદલાવી શકો?
જે વહે છે ભીતરેથી થઇ સમંદર કાયમી,
એ સ્મરણની નાવને સ્હેજેય હંકારી શકો?
લાગણીના ઘર વસે છે નફરતોના ગામમાં,
તેલ પૂરી ધૈર્યનું ચાહત દિવો પેટાવી શકો.
નીતા ટુંડાયા
No comments:
Post a Comment