સાંભળી છે આજ સાંભળનારની કથા;
તો ન આવી યાદ તારણહારની કથા.
લાગણીનાં પૂરમાં થંભી ગયાં બધાં;
એ મહોબત છે કદમ ભરનારની કથા.
લાશ થૈ ગઇતી કિનારે આવતા ગરક;
ડૂબવાની છે હવે તરનારની કથા.
જો નગર આખું બળી રહયું છે અને હવે;
માનવી ભૂલી ગયો છે મલ્હારની કથા.
શેર સઘળાં હાંફતાં હો જો ગઝલ મહીં;
જીવતી રેશે અહીં મરનારની કથા.
-રાણા બાવળિયા ૨૧/૧૨/૧૬
No comments:
Post a Comment