Monday, 23 January 2017

ગઝલ

હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો ?
નામ પાણીથી કિનારે ક્યાં સુધી લખવું કહો ?

આજ પણ, આવે છે ઉપસી છાપ એની આંખ પર.
આમ, સ્વપ્ન નાં સહારે ક્યાં સુધી લખવું કહો ?

એ નજર એવી હતી, પ્યાલી ભરેલી જામ ની.
એ નયન કેરા પ્રહારે ક્યાં સુધી લખવું કહો ?

આ ગઝલ ને યાદ તારી,જીવ લાવે તાળવે.
તોય હંમેશા સવારે ક્યાં સુધી લખવું કહો ?

પાંપણો ને પણ હવે તો થાક લાગે છે,"વિપુલ".
આવશે હજુ એ વિચારે ક્યાં સુધી લખવું કહો ?

વિપુલ બોરીસા

No comments:

Post a Comment