Sunday, 26 February 2017

ગઝ

શ્રી જયેન્દ્ર શેખડીવાલાની ગિરહ પરથી તરહી રચના

*વળાંકે વળાંકે વળી જાય રસ્તો.*
સરેઆમ સરતા ન મૂંઝાય રસ્તો.

તમે એકધારા કદમથી વહો તો,
પલકમાં કદમ સંગ રેલાય રસ્તો.

કહી દો કદમને મૂકે છાપ એવી,
તમારા જ નામેથી અંકાય રસ્તો.

ગુજરશે પછી શ્વાસના રોજ સરઘસ
ને કણકણ થઇ રોજ વેરાય રસ્તો.

અડગ હો ઈરાદો જો મંજિલ જવાનો,
ગિરિના ઉદરમાં ય ભોંકાય રસ્તો.

મળી જાય જો હમકદમ સાથ સુંદર,
પછી ચંદ્રની જેમ ટૂંકાય રસ્તો.

જગતનો તમે અંત ઘરને ગણો છો,
ખરેખર ઘરેથી શરૂ થાય રસ્તો.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment