.....
નિરાશા હોય જો મનમાં ડગર મળતી નથી,
તૂટેલું સ્વપ્ન ક્યાં બેઠું ? ખભર મળતી નથી.
ધણાંએ સાચવી બેઠા અમે તો ઘાવને,
શરીરે તે છતાં પણ જો ટસર મળતી નથી.
નફા માટે કરે સોદો ભલેને પ્રેમમાં,
વધે છે આંસુ છેલ્લે; ને કસર મળતી નથી.
કરું છું કામ દોડીને બધાંના હેતથી,
છતાંએ કામને મારાં કદર મળતી નથી.
જન્મ પહેલાં મરણ પામે વિચારો એમનું ,
હજી પણ ભૃણની જોવાં કબર મળતી નથી.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment