Saturday, 1 July 2017

અછાંદસ

વરસાદી વ્યથા (અછાંદસ)

સાચ્ચે જ
જેની બીક હોય તે જ થાય.
એટલે જ હું નહોતો વરસતો.
જેનો ડર હતો
એ જ થઈને રહ્યું.......

મારા વરસવાની સાથે જ

કવિઓ
તૂટી પડ્યા
મારા પર કવિતા લખવા....
પણ શું કરુ ?
મોરના ગહેકાટ માટે મારે વરસવુ પડ્યુ,
ઢોરના વલખાટ માટે મારે વરસવુ પડ્યુ.
- મુકેશ દવે.

No comments:

Post a Comment