કરો ના વિશ્ચાસ તો કઠોરાઘાત મળે છે
કરો જો વિશ્વાસ તો વિશ્ચાસઘાત મળે છે
જરા જેટલી જ્યાં શાંતિ મનને મળે માંડ
અશાંતિ તરફથી ત્યાં તો પ્રતિઘાત મળે છે
સંગાથી બધા છે સફરમાં સ્વાર્થના એવા કે
કામ પત્યે ચારેકોરથી છુટકારાની વાત મળે છે
સળગે છે આખો સંસાર કેવો અહીંયા ને
સમાચારમાં હજારો રોજ આપઘાત મળે છે
કરે છે કોન કદર "સતીષ " જગતમાં અહીં તો
વફાને નેકીના બદલે વ્હાલી રૂપિયાની જાત મળે છે
- સતીષ સખીયા
No comments:
Post a Comment