Monday, 17 July 2017

ગઝલ

એ સાંભળને...!!!
જોવુ જ્યારે જ્યારે આકાશ તરફ,
તો તારો જ ચહેરો કેમ દેખાય છે?

ક્ષિતિજની રેખા તરફ નજર કરુ,
તો તારું પ્રતિબિંબ કેમ દેખાય છે?

ધરા ની ધુળ પર જોવુ, તો
તારા જ પગલા કેમ દેખાય છે?

આંખોને જ્યારે બંધ કરુ, તો
પણ તુ જ કેમ દેખાય છે?

ખુલ્લી આંખે ચોતરફ ને ચોખૂણે,
પણ મને તુ જ કેમ દેખાય છે?

રાધા ના કૃષ્ણ માં ને મીરા ના
મુરલીધર માં પણ તુ કેમ દેખાય છે

તુ જ કહે મને, મને હરતરફ તુ તુ
ને બસ તુ જ કેમ દેખાય છે?
ઈશિતા🌹

No comments:

Post a Comment