' હું ' પદમાં સુંદરતા લાગે ?
તોડો તો શ્રીફળતા લાગે .
શ્રધ્ધામાં છે ખામી નહિતર ,
જન -જનમાં ઇશ્વરતા લાગે .
ઇર્ષ્યાનું વિષ પી લેશો તો ,
જીવનમાં શંકરતા લાગે .
અધકચરા માણસ જોવું તો ,
મનમાં મનમાં બળતાં લાગે .
જીભ વધારે બોલી ગઇ છે ,
તેને લોચા વળતાં લાગે .
રક્ષા
No comments:
Post a Comment