Thursday, 14 June 2018

ગઝલ

તન ગોકુળમાં ઝાલર વાગી ,
મન મથુરામાં સૂંતી જાગી .

માયા મનથી છૂટી જાણે ,
વાડામાંથી ગાયો ભાગી .

આવું ના આ તનમાં પાછી ,
જાણે વનમાં જ્વાળા લાગી .

નાભિકમળમાં સુરતા ઠેરી ,
હું પદ કેરા કજિયા ત્યાગી .

"ચાતક" તો ના સમજે સ્હેજે ,
કેવો છે આ જન કમભાગી ?

ગફુલ રબારી "ચાતક" .

No comments:

Post a Comment