Friday, 12 October 2018

ગઝલ

વિધી વિધાને ચાલવા કારણ મળે નહીં,
સોચે વિચારે જે કદી પાવન બને નહીં .

મોઘી બનીછે કેટલી જીવન જણસ હવે,
કિમત વધારે આપતાં દામન ભરે નહીં .

જ્ઞાને વરેલાં ભારનું ડા'પણ કહી રહ્યું ,
છુટી પડેલી જિંદગી બાંધી રહે નહીં.

ચાલો ફકિરી વેશમાં ઘર ઘર તપાસવા,
ટુટી રહેલાં ભાવની સમજણ પડે નહીં.

માથે ધરીને રાખતાં ભાવો નવા નવા ,
માસૂમ તપેલાં સુરજે શાંતા વળે નહીં.

                           માસૂમ મોડાસવી

No comments:

Post a Comment