Monday, 15 October 2018

ગઝલ

ભાવ પૂર્ણ હૃદયમાંથી નીકળે નાદ તે સ્તુતિ
ભાવ જગતનો અનોખો ઉન્માદ તે સ્તુતિ

ભીડ પડે ત્યારે નાભિ મંડલથી નીકળે
વિશ્વાસનો જાગી ઉઠે આશાવાદ તે સ્તુતિ

એક ચૈતન્ય પ્રસરી જાય પિંડમાં
મન એકાકાર થઈ મેળવે આહલાદ તે સ્તુતિ

નતમસ્તક થઈ પ્રણિપાત આપમેળે
દ્રઢ શ્રદ્ધાથી પામે આશીર્વાદ તે સ્તુતિ

આત્મ વિશ્વાસ ને અટલ શ્રદ્ધા જાગી જાય
સાક્ષાત અનુભૂત થવાય કરતાં યાદ તે સ્તુતિ

રહે નહીં કો દાદ કે ફરિયાદ
ઈશ કર્ષિત થાય કરતાં સાદ તે સ્તુતિ

મળી જાય દુનિયાની દોલત એવો જાગે પોકાર
ભીંજવી દે ભક્તિનો એવો નાદ તે સ્તુતિ

દેવીબેન વ્યાસ -વસુધા -સુરેન્દ્રનગર

No comments:

Post a Comment