Sunday, 12 April 2020

ગઝલ

લગાગા ૪ -

કદી ડૂબતી હો જો નૈયા કિનારે,
કરી દે તું નૈયા પ્રભુને સહારે.

છલોછલ છલકતો હો  વિશ્વાસ જેનો,
પ્રભુ આવી ઊભા રહે છે વહારે.

પ્રભુ નાં સ્મરણની ધૂણી જે ધખાવે,
એ ભક્તોને ક્યાં થી પ્રભુ જી વિસારે?

પછી થી તું ખુદની ન રાખીશ ચીંતા,
પછી  એને માથે જ  ચીંતા વધારે.

સો મણનો ભલેને શીરે તારે પથ્થર,
તરી જાય પથ્થર ભલે હોય ભારે.

અંજના ગાંધી "મૌનું"
વડોદરા

No comments:

Post a Comment