Saturday, 11 April 2020

ગઝલ

*કોણ માનશે ?*

વિધ્વંશ વાણીથી વહેતી વાતો કોણ માનશે ?
વિરોધીઓ દ્વારા કહેલી વાતો કોણ માનશે ?

વાતો વાતોમાં મહા વિખવાદ સજાઁય ત્યારે,
ખુદની નજરે જોયેલી  વાતો કોણ માનશે ?

વતઁમાનમાં વ્યંથા પુવઁકથી કહુ છુ એટલે જ,
ભુતકાળની વિતી ગયેલી વાતો કોણ માનશે ?

કહેવાથી ઝણઝણાટી વ્યાપેલી હોવા છતાં,
ગોખીને ગાઈ વગાયેલી વાતો કોણ માનશે ?

પશ્ર્ન પ્રરિપેક્ષથી ઉદભવેલી પરીછીનતામાં,
મનોમંથનથી મનાયેલી વાતો કોણ માનશે ?

વાતવાતમાં વાતોનું વતેસર થઈ જાય તોય,
કોઈકોઈથી કોહવાયેલી વાતો કોણ માનશે ?

દિનેશ,વાતોની વાતોમાં ઘણો ફેરફાર હોય છે,
ખુબીથી ખણખોદાયેલી વાતો કોણ માનશે ?

*દિનેશ સોની,*

No comments:

Post a Comment