Saturday, 3 December 2016

ગઝલ

આભલે તો આંસુ ઘેરાય ને,
થાય વરસા ; દિલ ઘવાતું હોય તો.

એ હસી ને હું ઘવાયો ને હવે,
એ જ ઘા થી દિલ ચિરાતું હોય તો?

રાત કાળી તો  થવા તૈયાર છું,
કાજળ બની જો વસાતું હોય તો.

ના રડો આ રીતથી ; એ.. થોભજો!
કો રુદનમાં  પણ તણાતું હોય તો.

બેવફા એ ખૂન ની તો છાંટ છે,
નામ જ હિનાથી લખાતું હોય તો.

ઝાંઝવા પીવા પડે છે ને હવે?
પ્રેમ તણું જળ કળાતું હોય તો.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment