એક અછાઁદસ
સારું નરસું ન જીવનમાં હોય,
એકમેકને ગમતું હોય.
તારું -મારું ન રીતમાં હોય,
આપણુંને સહિયારું હોય.
પળે પળ સંગાથ હોય,
એકબીજાની રંગત હોય.
વાત વાતમાં પ્રણય હોય,
આંખમાંય એક ચાહત હોય.
ભલે ન મળીએ જીવનભર,
પણ સ્મૃતિપટ પર કાયમ હોય.
'પરમ' કહે જીવન મારું
તારા ચરણોમાં સમપિઁત હોય!!
- પરમ પાલનપુરી
No comments:
Post a Comment