Monday, 23 January 2017

ગઝલ

કાલના મુશાયરામાં પઠન કરેલી મારી ગઝલ

એ પધારે ,કે પછી એ ના પધારે,
યાદ ને કો' બારણા તો ના પછાડે.

થઈ શકે છે ઘાવ સૌના દિલ મહીં તો-
એને કો' ઝૂલ્ફોને છત પર ના સવારે.

આ સરળ રસ્તા નથી ગમતા મને
કોઈ પથ્થર ને કહો ઠોકર લગાડે

હું ગમાડું છું તને, છે કારણો પણ;
એક દે કારણ કાં મુજને ના ગમાડે ?

આમતો એની કોઈ કિંમત નથી પણ-
પ્રેમ જોયો છે મેં વેચાતો બજારે.

વિરલ દેસાઈ"પાગલ"

No comments:

Post a Comment