Monday, 30 January 2017

ગઝલ

અંતરે આ ઘા બધા જોને સળગતા થૈ ગયા,
મોતના આ વાદળો જોને ભટકતા થૈ ગયા

ના મને એ જાણ હું કેવો હતો; કેવો જ છું?
વેદનાના વાદળો કેવા ઉપસતા થૈ ગયા.

રાખમાં ભળતી જતી મારી જ આતો જાત ને!
અંગ મારા અંગને જોને ભરખતા થૈ ગયા.

હું ન જાણું પાંજરે કેમે પુરાતો આમ જો,
જો વિના ચાવી રમકડાંતો ખનકતા થૈ ગયા.

ચારલીટી ની જ કવિતા 'કવિ' લખી ભૂલી ગયા,
વાંચનારા જો હવે એને સમજતા થૈ ગયા.

-સંદીપ ભાટીયા  'કવિ' (લીમખેડા)

No comments:

Post a Comment