અંતરે આ ઘા બધા જોને સળગતા થૈ ગયા,
મોતના આ વાદળો જોને ભટકતા થૈ ગયા
ના મને એ જાણ હું કેવો હતો; કેવો જ છું?
વેદનાના વાદળો કેવા ઉપસતા થૈ ગયા.
રાખમાં ભળતી જતી મારી જ આતો જાત ને!
અંગ મારા અંગને જોને ભરખતા થૈ ગયા.
હું ન જાણું પાંજરે કેમે પુરાતો આમ જો,
જો વિના ચાવી રમકડાંતો ખનકતા થૈ ગયા.
ચારલીટી ની જ કવિતા 'કવિ' લખી ભૂલી ગયા,
વાંચનારા જો હવે એને સમજતા થૈ ગયા.
-સંદીપ ભાટીયા 'કવિ' (લીમખેડા)
No comments:
Post a Comment