Wednesday, 4 January 2017

ગઝલ

એજ કવિ બનતા હશે....

કેવા કાળજા બળતા હશે
ત્યારે શબ્દો નિકળતા હશે

પામી ને પ્રેમ દિલદાર નો
જુદાઇના ડામ મળતા હશે

દિલમાં જેને વસાવ્યા હોય
ઈ જ કેમ કપટ કરતા હશે

પ્રેમને વિશ્વાસમાં ખોઈ પોતાની
જાતને પછી કવિ બનતા હશે

ડામ દિલ પર જે સહીને
મોઢેથી હસતા હશે....
                    એજ કવિ બનતા હશે

                           - સતીષ સખીયા

No comments:

Post a Comment