વાર કર્યા કરું છું હું વગર વિચાર્યે સામે વાળા વિરલા પર....
હોય ભલેને ઈ તલવાર લાકડાની એને ક્યાં છે કંઈ ખબર.........!!
આમ ને આમ જ જીતાઈ ગઈ છે કંઈ કેટલીયે બાજીઓ......
મનેય હજી નથી ખબર કે એમાં શું કરી જાય છે અસર..............!!
પાણી પીવા માટે જ ઘૂઘવાટા માર્યા છે ખુદ સમંદર થઈને.....
તરસ્યા કંઠ ને સારી પેઠે જાણે છે આ લહેરાતી હર લહેર............!!
રસ્તો કહે - હું હવે અકળાવ છું ને મંઝીલ કહે હું પસ્તાવ છું.......
લાગે છે કે કર્મયોગના કરિશ્માની થઇ ગઈ છે સૌને ખબર.........!!
એક જ ધ્યાન-ભૂલી ભાન સર્જતો ગયો નવા નવા સોપાન.......
ને સમસ્યાઓ જ સર્જી ગઈ રોજે રોજ નવા નવા અવસર..........!!
રહસ્યોના કુંડાળામાં ગયા કેટલા જનમ..? કોને ખબર.?......
બીજા શું ઓળખવાના મને..જ્યાં હું જ ખુદ થી બેખબર.............!!
લ્યો ત્યારે - કરું છું તમામ તલવારો મ્યાન હવે " પરમ ".......
"પાગલ"પ્રેમ ના પરગણામાં ક્યાં હોય છે યુદ્ધના અવસર.........!!
રચનાકાર ......ગોરધનભાઈ વેગડ (પરમપાગલ )
No comments:
Post a Comment