Wednesday, 4 January 2017

ગઝલ

ધણી વાર દ્વારે ટકોરાં પડે છે,
હવાના નથી ને એ જોવાં પડે છે

વધું પડતાં જ્ઞાની થવાથી તો માણસ,
સ્વયંમાં જ ક્યારેક ખોટાં પડે છે.

ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડા પડે છે.

હવેનાં સંબંધો વિશે તો છે એવું ,
જરૂરતનાં ટાણે જ મોળાં પડે છે.

તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરા પડે છે.

કરે વાત 'વેદાંત' ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?

વિપુલ માંગરોલીયા(વેદાંત)

No comments:

Post a Comment