Monday, 2 January 2017

ગઝલ

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?
દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?
                    
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?
                                 
તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
                             
આદિલ મન્સૂરી

No comments:

Post a Comment