જ્યારે જયારે
જોઉં છું હું
ગરીબ ખોલીમાં ખીલતા
મોજને માણી લેતા
કોઈ હસતાં ચહેરાઓ,
બેફિકરાઈથી
માણી લેતા જીવનને,
બીજાની ખુશીમાં
ખુશ થઈ જતાં,
સૂઈ જતા સહજતાથી
પ્રકૃતિની ગોદમાં,
ઇમાનદારીથી
જીવન જીવતા;
એ જોઈને
વિશ્વાસ આવી જાય છે
કે-
ખુશીનો સંબંધ દોલત નહિ
પણ
અંદરથી હોય છે ..!!
- પંકજ ગોસ્વામી
No comments:
Post a Comment