Friday, 24 February 2017

ગઝલ

સત્યતાને છૂપી રખાય નહીં,
કે આ મૃગજળથી જળ થવાય નહીં.

ઘાવ કેવા તે દિલ ઉપર આપ્યા,
કોઈ સ્પર્શે તો પણ દુઃખાય નહીં!!

ઝૂલ્ફ ક્યારેક આડી આવી શકે,
ગાલ પકડ્યા વગર ચૂમાય નહીં!

એ વદન ધારદાર રાખે છે,
તો ય મારું હૃદય ઘવાય નહીં.

આમ તો પ્રેમ હોય એ સારું,
આમ આ પ્રેમના ડખા ય નહીં.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment