Sunday, 26 March 2017

ગઝલ

એક. ગઝલ
🌹🌹🌹🌹🌹🌹

નથી માનતો મરણ પછી
સુખ ધામ છે,
ઇશ્વરનું હોવુંય નર્યો આભાશ છે.

ચારેકોર ફક્ત અરજકતાનો મુકામ છે,
આમાં કેમ માનવું કે કોઈ પરમધામ છે.

ગલીએ ગલીએ આસ્થા નો મુકામ છે,
માનવીના મનનો આ નર્યોં વહેમ છે.

અહીં આવ્યા પછી જીવને કયાં વિરામ છે,
અંત પછી પાછો એક નવો અવતાર છે.

બાદબાકી શુન્યની શુન્યથી શુન્ય છે,
વર્તુળને કયાં કદી અંત કે આરંભ છે.

દિલીપ ઠકકર
આદિપુર

No comments:

Post a Comment