Wednesday, 5 April 2017

ગઝલ

*પ્રણયમાં જવાની નિચોવાઇ જાશે*,
ને અરમાન સઘળાંય ધોવાઇ જાશે.

કરી સહેજ ભીનો પરોવી જો દોરો,
હ્રદયનું આ નાકું પરોવાઇ જાશે.

કબૂલી જુઓ પાપ જેસલ બનીને,
અમસ્તું અમસ્તું જ રોવાઇ જાશે.

બધે આમ રેઢું જવા ના દો મનને,
એ નાદાન બાળક છે ખોવાઇ જાશે.

વલોણું વિચારોનું ફરતું જ રાખો
રે..ઘમ્મર ! રે..ઘમ્મર! વલોવાઇ જાશે.

કહો મોતને  કે કરે મ્હેરબાની,
પ્રસંગો બધા આજ ઠોવાઇ જાશે.

ભરી જામ હોઠે લગાવું નહીં તો,
આ મયખાને 'માસ્તર' વગોવાઇ જાશે.
             
         🖋કવિ-જુગલ દરજી
                       'માસ્તર'

*શ્રી અમૃત ઘાયલના મિસરા પરથી તરહી*

No comments:

Post a Comment