કેમ સમજાવુ આ પાગલ મન ને
પકડવાને મથે છે એ પવન ને
આ અધૂરા અભરખા જુવો તો
કેવા જાગે માણવા સહજીવન ને
કોણ પામ્યું છે આ ધરતી પર
કહો પોતાને ગમતા જીવન ને
રામ ને રહીમ પણ ચાલ્યા ગયા જુવો
છોડી આ ધરતી પર કાયાના ભવન ને
જીવથી વ્હાલુ છતાંયે છોડવું પડયું
ગોકુલ પણ શ્રી કૃષ્ણ ભગવાન ને
આ અવની પર ચાલે ના કોઈના મનનુ
યાદ રાખજો"સતીષ"ના આ કવન ને
- સતીષ સખીયા
No comments:
Post a Comment