સુર્યકિરણ ઘરમાં સર્જાય? રહેવા દે.
દિપક તને નહીં સમજાય, રહેવા દે.
સવારને બાંધી શકે ઘનઘોર અંધારમાં,
રાત ઝુલ્ફોથી નહીં બંધાય રહેવા દે.
ફકત પ્રેમની જ ભુખ લાગે છે દિલ ને,
રૂપથી તો ઍ નહીં અંજાય રહેવા દે.
જતી વેળા ના આવજો કહેજે મને,
સસ્મિત આપુ તને વિદાય? રહેવા દે.
મહેફીલોમાં ગઝલ થઈ ફેલાઈ જશે,
આ વાતો ઍકાંતમાં કરાય રહેવા દે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment