મૌનના કારણ વિષેની વાત સાંભળવી હતી ,
ખોટા સૌ તારણ વિષેની વાત સાંભળવી હતી !
જેને કારણ ટ્રેન છુટી , ના મળી છેલ્લે શક્યાં ,
પગના એ આંટણ વિષેની વાત સાંભળવી હતી !
આ ગઝલ માટે બીજું તો શું કહું ?
મારા આ વળગણ વિષેની વાત સાંભળવી હતી !
જ્યારથી જોઈ તને, જે ઉદભવી,
દિલની એ રણઝણ વિષેની વાત સાંભળવી હતી !
વાત જે હું ના કહી ક્યારે શક્યો,
એ થીજેલી ક્ષણ વિષેની વાત સાંભળવી હતી !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment