હા, બને કે જીવવામાં ભૂલ થાય;
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?
છત ને દીવાલો બિચારી શું કરે !
જ્યારે પાયા નાંખવામાં ભૂલ થાય…
એનું ચોક્કસ માપ કંઈ હોતું હશે !
લાગણીને માપવામાં ભૂલ થાય.
જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.
આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !
પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?
– મહેશ દાવડકર
No comments:
Post a Comment