Thursday, 4 May 2017

ગઝલ

હા, બને કે જીવવામાં ભૂલ થાય;
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?

છત ને દીવાલો બિચારી શું કરે !
જ્યારે પાયા નાંખવામાં ભૂલ થાય…

એનું ચોક્કસ માપ કંઈ હોતું હશે !
લાગણીને માપવામાં ભૂલ થાય.

જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.

આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !

પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?

– મહેશ દાવડકર

No comments:

Post a Comment