ગઝલ
નથી છે ની દ્વિધામાં સૌ જીવે છે
અહીં ઓછા ભવ તર નાર જન્મે છે
ખરી દિશા ન સુજે માનવીને
ઈશુ સામે જ એટલે નમે છે
ન સાચા કે અસત્યના પુરાવા
તોય સત્યની શોધમાં વ્યર્થ સૌ ભમે છે
મુઠ્ઠીમાં પાંખડી જો સૂકી ખરે તો
પણ પ્રભાતે ફૂલો ખીલે એ ગમે છે
વહે જો આંખમાંથી આંસુઓ તો
દુઃખો સાથે સુખનો દીવો ટમટમે છે
બધા સંબંધે લાગણી સજા છે
ને લાગણીના દાવપેચ બધા રમે છે
ચહેરામાં મહોરાઓ છુપા છે ધુતારાઓ ચોમેર ધમધમે છે
ન હોય કો સૂર્યવંશી પ્રભાતો સુરજ સાથે ઘણુંય આથમે છે
-કિન્નરી દવે
Friday, 2 June 2017
અછાંદસ
Labels:
કિન્નરી દવે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment